Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોવિદ -19 ને કારણે અનાથ થયેલા બાળકોની યાદી બનાવવામાં વિલંબ ન થવો જોઈએ : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સુપ્રીમ કોર્ટની તાકીદ

ન્યુદિલ્હી : કોવિદ -19 ને કારણે અનાથ થયેલા બાળકોની યાદી બનાવવામાં વિલંબ ન થવો જોઈએ તેવી તાકીદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કરી છે.તથા જરૂર પડે તો આ કામ માટે  જુદી જુદી એજન્સીઓનો ઉપયોગ કરવા સૂચના આપી છે.

જસ્ટીસ એલ નાગેશ્વરા રાવ અને અનિરુધ્ધ બોઝની ડિવિઝન બેંચે અનાથની ઓળખ માટે બાળ કલ્યાણ અને સંરક્ષણ અધિકારીઓ , પોલીસ, ડીસીપીયુ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, ગ્રામ પંચાયતો, આંગણવાડી અને આશા નેટવર્કની મદદ  મેળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ્સને જરૂરી નિર્દેશો જારી કરવા આદેશ આપ્યો હતો. .

નામદાર કોર્ટે આપેલા આદેશમાં માર્ચ 2020 પછી અનાથ બનેલા અથવા તેમના માતાપિતામાંથી એક ગુમાવેલ બાળકોની સંખ્યા - સીડબ્લ્યુસી પહેલા જન્મેલા બાળકોની સંખ્યા - જેમને રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે.તથા આઇસીપીએસ યોજના અંતર્ગત જરૂરીયાતમંદ બાળકોને ઉપલબ્ધ કરાયેલા 2000 રૂપિયાની ચુકવણી અંગેની માહિતી સમયસર પુરી પાડવા જણાવ્યું છે.

અનાથના શિક્ષણના મુદ્દે ખંડપીઠે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ ખાતરી કરવી પડશે કે ઓછામાં ઓછા આ શૈક્ષણિક વર્ષ માટે અનાથને તે જ શાળામાં ચાલુ રાખવા દેવામાં આવશે, પછી ભલે તે ખાનગી અથવા જાહેર શાળા હોય. જો ખાનગી શાળાઓમાં ચાલુ રાખવામાં મુશ્કેલી આવી રહી છે, તો તેમને અન્ય શાળાઓમાં આરટીઇ એક્ટ હેઠળ સમાવિષ્ટ કરી શકાય છે. રાજ્યોએ ખાનગી અને જાહેર શાળાઓમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓની વિગતો પૂરી પાડવાની રહેશે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)