Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર ઘેરવાની તૈયારીમાં કોંગ્રેસ :પીએમ મોદીના જન્મદિવસે 1 લાખ બેરોજગારો લખશે પત્ર

મનીષ દોશીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પર ભરતી કરીને રોજગારીનાં અધિકાર પર તરાપ મારી રહી છે.

નવી દિલ્હી :તાજેતરમાં સરકારે અગ્નિપથ યોજના લોન્ચ કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ પણ ઉતરી છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય યુવક કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઇ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે. ઉપરાંત વડાપ્રધાન મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે

અખિલ ભારતીય યુવક કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઇ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે અગ્નિપથને લઈ આંદોલન કરવામાં આવશે. રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે. તો 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિને 1 લાખ બેરોજગાર યુવકો પોસ્ટકાર્ડ લખશે.

અધ્યાપકોની ભરતી કોન્ટ્રાક્ટ પર કરવા મનીષ દોશીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પર ભરતી કરીને રોજગારીનાં અધિકાર પર તરાપ મારી રહી છે. યુનિવર્સિટી, કોલેજોમાં લેકચરરની નિમણૂંક કોન્ટ્રાક્ટ પર કરવા જઈ રહી છે. દસ-પંદર વર્ષથી જગ્યા ખાલી છે જે કોન્ટ્રાક્ટ પર ભરવામાં આવશે. નર્મદા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેકચરરની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે.

(8:25 pm IST)