Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ચીન વિરૂધ્ધ ભારતની લાલ આંખ

સરહદે ૫૦,૦૦૦ વધારાના સૈનિકો ખડકતું ભારત કુલ ૨ લાખ સૈનિકો તૈનાત થયાં: ડ્રેગન ઉપર નજર

નવી દિલ્હી, તા.૨૮: ભારતે ઓછામાં ૫૦ હજાર સૈનિકોને ચીન સરહદ પર મોકલ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ચીન સાથે મુકાબલા માટે ભારતના આ પગલાંને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે. બ્લૂમર્ગના રિપોર્ટમાં ૪ અલગ-અલગ સૂત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ભારતે છેલ્લા ૪ મહિનામાં ચીની સરહદથી અડીને આવેલા ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં સૈન્ય ટુકડીઓ અને યુદ્ઘ વિમાનોને તહેનાત કર્યા છે. આ રીતે ભારતે હવે ચીનની સરહદ પર નજર રાખવા માટે લગભગ ૨ લાખ સૈનિકો તહેનાત કરી દીધા છે જે ગત વર્ષની સરખામણીએ ૪૦ ટકા વધારે છે.

જો કે ભારતીય સેના અને પ્રધાનમંત્રી કાર્યલયમાંથી આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભારત અને ચીનની વચ્ચે વર્ષ ૧૯૬૨માં બે યુદ્ઘ થયાં, તેમ છતાં ભારતે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પાકિસ્તાનને વધારે મહત્વ આપ્યું, કેમકે કાશ્મીર ૧૯૪૭થી જ બંને દેશો વચ્ચે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જો કે જયારે ગત વર્ષે ૧૫ જૂનના પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ કાયરતાપૂર્વક ભારતીય સૈનિકો પર હુમલો કર્યો, ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથેના મુદ્દાને ઠંડો રાખીને ચીની સરહદ પર ફોકસ કરવાની રણનીતિ અપનાવી રાખી છે.

ભારતે પહેલા સરહદ પર ચીની સેનાના અતિક્રમણને રોકવા માટે સૈનિક તહેનાત રાખ્યા હતા, પરંતુ હવે દળ-બળમાં ભારે વૃદ્ઘિ કરીને જવાબી કાર્યવાહી કરવા અને ચીની સરહદમાં પ્રવેશ કરવાની ક્ષમતા પણ મેળવી લીધી છે. એક સૂત્રએ કહ્યું કે, ભારત હવે ચીનની વિરુદ્ઘ શ્નઆઙ્ખફેન્સિવ ડિફેન્સલૃની રણનીતિ અપનાવવાથી ખચકાશે નહીં. આ માટે એક દ્યાટીથી બીજી દ્યાટી સુધી સૈનિકો અને હળવી હોવિત્ઝર તોપોને લાવવા- લઈ જવામાં હેલિકોપ્ટરોની પણ તહેનાતીની ખાતરી કરવામાં આવી છે.

જો કે એ સ્પષ્ટ નથી કે ચીને ભારતીય સરહદ પર કેટલા સૈનિકો ગોઠવી રાખ્યા છે, પરંતુ ભારત એ વાતથી જરૂર વાકેફ છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ હાલમાં જ તિબ્બતથી સૈનિકોને શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડ લાવ્યા છે. આ કમાન્ડ ભારત સાથે વિવાદવાળા વિસ્તારોની પેટ્રોલિંગની દેખરેખ કરે છે. ચીન અત્યારે નવા વિમાનો રાખવા માટે નવા રનવે, બોમ્બ પ્રૂફ બંકર ઉપરાંત તિબેટમાં વિવાદાસ્પદ સરહદની આસપાસ નવા એરફીલ્ડ્સ પણ બનાવી રહ્યું છે.

સૂત્રો પ્રમાણે, ચીન લાંબા અંતર સુધી પ્રહાર કરવામાં સક્ષમ હથિયાર, ટેન્ક, રોકેટ રેજિમેન્ટ અને બે એન્જિનવાળા ફાઇટર જેટ્સ પણ તહેનાત કરવામાં લાગ્યા છે. આનાથી જોડાયેલા પ્રશ્ન પર ચીની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ આ પ્રકારની અટકળો પર કોઈ પ્રતિક્રિયા નહીં આપે. ચીનની તૈયારીઓના જવાબમાં જયારે ભારતે ઐતિહાસિક પગલું ઉઠાવતા પોતાના સૈનિકોની સંખ્યામાં ભારે વધારો કર્યો છે તો આનાથી બંને દેશોની વચ્ચે સંઘર્ષ વધુ ખતરનાક સ્તર પર પહોંચવાની શકયતા સતાવવા લાગી છે.

(4:42 pm IST)