Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવશે તો પાકિસ્તાન સરહદ બંધ કરી દેશે

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ હવે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારીએ

નવી દિલ્હી :પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતા સર્જાઈ શકે છે. જો અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવશે તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલી સરહદ બંધ કરી દેશે.  

 કુરૈશીએ જણાવ્યું કે, પાકિસ્તાન પહેલેથી જ 35 લાખ અફઘાનિસ્તાનીઓને શરણ આપી ચુક્યું છે હવે તે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે. કુરૈશીએ મધ્ય મુલ્તાન શહેર ખાતે આયોજિત સંમેલનમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

  કુરૈશીએ કહ્યું હતું કે, અમે વધુ શરણાર્થીઓ ન લઈ શકીએ. અમે અમારી સરહદ બંધ કરી દઈશું. અમારે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની છે. વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન દેશમાં શાંતિ માટેના રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખશે અને તેના લોકશાહીથી ચૂંટાયેલા નેતૃત્વનું સ્વાગત કરતું રહેશે.

(12:28 pm IST)