Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કેન્દ્ર સરકારે એટર્ની જનરલ 89 વર્ષીય કે.કે.વેણુગોપાલનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવ્યો : 30 જૂન 2022 સુધી દેશના એટર્ની જનરલ તરીકે ચાલુ રહેશે

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવ્યો છે.  તેથી તેઓ હવે 30 જૂન 2022 સુધી દેશના એટર્ની જનરલ તરીકે ચાલુ રહેશે .

2017 ની સાલના જૂન મહિનામાં તત્કાલીન  એટર્ની જનરલ મુકુંદ રોહતગીએ અંગત કારણોસર  રાજીનામુ આપતા તેમની જગ્યાએ વેણુગોપાલની નિમણુંક કરાઈ હતી.જે નરેન્દ્ર મોદી 2019 ની સાલમાં બીજી ટર્મમાં વિજેતા બન્યા પછી પણ ચાલુ રાખવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:55 am IST)