Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

RBIના ફતવાથી સૌરાષ્ટ્રની અનેક સહકારી બેંકોએ નવા એમડીની નિમણૂંક કરવી પડશે

મુંબઈઃ એમબીએ અથવા ૩૫ વર્ષથી વધુ ઉંમરના સીએની જ બેંકના મેનેજિંગ ડિરેકટર પદે નિમણૂંક કરવા રિઝર્વ બેંકના આદેશથી સૌરાષ્ટ્રની અનેક બેંકોના એમડી પદે નવી ભરતી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. અત્યાર સુધી અર્બન કો-ઓપરેટીવ બેંકના મેનેજિંગ ડિરેકટર પદ માટે સીએ કે એમબીએ જેવી કવોલિફિકેશન અનિવાર્ય ન હોવાથી કેટલીક બેંકોએ બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાંતોની નિમણૂંક કરી દીધી હતી. હવે આરબીઆઈએ નવી ગાઈડલાઈન ન જારી કરતા કેટલીક અર્બન કો.ઓપરેટિવ બેંકોમાં આ જગ્યા ખાલી પડશે. એટલે કે નિયમ મુજબ નહીં હોય તેવી બેંકોએ એમડી પદે નવાની ભરતી કરવી પડશે. સહકારી બેંકોના બોર્ડમાં ઉથલપાથલ થશે.

(11:45 am IST)