Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દેશમાં કોરોનાના નવા 45,743 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 57.351 દર્દીઓ રિકવર થયા : વધુ 890 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.96.673 થયો :એક્ટિવ કેસ ઘટીને 5.68.570 થયા : કુલ કેસની સંખ્યા 3.02.78.208 થઇ

સૌથી વધુ કેરળમાં 10.905 કેસ,મહારાષ્ટ્રમા 9974 કેસ,તામિલનાડુમાં 5127 કેસ, આંધ્રપ્રદેશમાં 4250 કેસ, કર્ણાટકમાં 3604 કેસ, ઓરિસ્સામાં 3408 કેસ, આસામમાં 1523 કેસ,પશ્ચિમ બંગાળમાં 1836 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 45.743 કેસ નોંધાયા છે. જ્યારે 57.351 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 45.743 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં  890 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,96.673 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 45.743 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.02.78.208 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 5.68.570 થઇ છે છેલ્લા 24 કલાકમાં 57.351 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,93.01.071 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 10.905 કેસ,મહારાષ્ટ્રમા 9974 કેસ,તામિલનાડુમાં 5127 કેસ, આંધ્રપ્રદેશમાં 4250 કેસ, કર્ણાટકમાં 3604 કેસ, ઓરિસ્સામાં 3408 કેસ, આસામમાં 1523 કેસ,પશ્ચિમ બંગાળમાં 1836 કેસ નોંધાયા  છે

(12:00 am IST)