Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દિશા વાકાણીને લઇ સોશ્‍યલ મીડિયામાં લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્‍યોઃ આજે દિશાના ચાહકોના તમામ પ્રશ્નોનો અહીં જવાબ મળશે

શું દિશા વાકાણી જીવિત છે? શું દિશા શોમાં પરત ફરશે ? કોણ છે દિશાની પુત્રી ? જેવા સવાલોનો આજે અહીં તમને જવાબ મળશે

મુંબઇઃ ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' શો છેલ્લા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યુ છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી આ શોને લાઇમ લાઇટમાં રહેતી દયા ભાભી એટલે કે દિશા વાકાણી આ શોમાં નથી ત્‍યારે સોશ્‍યલ મીડિયામાં ફેન્‍સે દિશાને લઇ અનેક સવાલો ઉઠાવ્‍યા છે. દિશા સોશ્‍યલ મીીડયા પર ક્‍યાંય નથી એટલે તેના વિશે તેના ચાહકોને કોઇ સમાચાર મળતા નથી. જેને લઇ તેઓ દિશા વિશે જાણવા આતુર હોય છે. ત્‍યારે આજે અમે તમારા બધા પ્રશ્નોનો જવાબ લઇ આવી પહોંચ્‍યા છીએ.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો હવે ઘરે ઘરે પ્રખ્યાત છે, ત્યારે શોની સૌથી મોટી સ્ટાર દિશા વકાણીના અનેક પ્રશંસકો છે. ભલે દિશા છેલ્લા 5 વર્ષોથી શોમાં નજરે ના પડતી હોય, પરંતુ તેનો એવો મતલબ નથી કે લોકો દિશાને ભૂલી ગયા છે. આજે પણ તારક મહેતા શોમાં ફેન્સ દિશાની રાહ જોઈને બેઠા છે. દિશા વકાણી વિશે જાણવા માટે ચાહકો હંમેશાં એક્સાઈટેડ રહે છે.

ચાહકો હંમેશાં દિશાની પર્સનલ લાઈફને જાણવા માટે ઉત્સુક રહે છે, તો ક્યારેક શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફેન્સના એવા ઘણા સવાલ છે જે સૌથી વધારે પુછવામાં આવે છે. દિશાના ચાહનારા લોકોના તમામ સવાલોના જવાબ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

દિશા વાકાણીની પુત્રી કોણ છે?

દિશા વાકાણીની પુત્રીનું નામ સ્તુતિ પાડ્યા છે... કારણ કે દિશા સોશિયલ મીડિયા પર નથી. એટલા માટે ફેન્સને દિશાની પુત્રીની ઝલક જોવા મળી નથી.

શું દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો?

દિશા વાકાણી શોમાં દયાબેનનો રોલ નિભાવે છે. પરંતુ દિશાએ અત્યારે હાલ આ શો છોડ્યો નથી, તેઓ ટૂંક સમયમાં પાછા ફરશે. તેઓ વર્ષ 2017માં મેટરનિટી બ્રેક પર ગયા હતા. ત્યારથી દિશા શોમાં દેખાયા નથી. પોતાની ફેમિલી અને બાળકો પર દિશાનું વધારે ફોક્સ છે. દિશાએ શો છોડવાની વાત ના તો અભિનેત્રીએ કન્ફર્મ કર્યું છે અને ના તો મેકર્સે. મેકર્સ આજે પણ દિશા વાકાણી શોમાં પાછા ફરે તેવી રાહ જોઈ રહ્યા છે. એટલે તો છેલ્લા 5 વર્ષોથી શોમાં દિશાને રિપ્લેસ કરવામાં આવી નથી. દિશા વગર જ શો ચલાવવામાં આવી રહ્યો છે.

શું હવે દિશા વકાણી જીવિત છે?

આ સૌથી ડરામણો સવાલ હશે જે લોકો દિશા વિશે પુછી રહ્યા છે. દિશા સીરિયલમાં નજરે પડી રહી નથી, ના તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, એટલા માટે યૂઝર્સ એવા વીયર્ડ સવાલ પુછવા લાગ્યા છે. તમને આ જાણીને ખુબ જ ખુશી થશે કે દિશા વાકાણી આપણી વચ્ચે છે અને સ્વસ્થ છે. દિશા વાકાણીએ હાલમાં જ એક મોટા ગુડન્યૂઝ આપ્યા છે. તે બીજી વાર માતા બન્યા છે. દિશાના ઘરે એક નાનો રાજકુમાર આવ્યો છે.

(5:25 pm IST)