Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ગુજરાતીઓના પ્રેમ, લાગણીથી નરેન્‍દ્રભાઇ મોદી અભિભુત થયાઃ ભુપેન્‍દ્રભાઇ -પાટીલજી દ્વારા ભવ્‍ય સન્‍માન

રાજકોટઃ આટકોટ ખાતે હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત જનમેદની નિહાળી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અભિભુત થયા હતા. જનમેદનીનું અભિવાદન ઝીલ્‍યુ હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ દ્વારા વડાપ્રધાન શ્રી મોદીનુ સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. ડો.ભરત બોઘરા દ્વારા નરેન્‍દ્રભાઇને ચલચીત્ર ભેટમાં આપવામાં આવેલ. પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ શ્રી મોહનભાઇ ટુંડારીયા, ઘારાસભ્‍ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી લાખાભાઇ સાગઠીયા, શ્રી જયેશભાઇ રાદડીયા, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી દ્વારા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પાઘડી પહેરાવી સન્‍માન કર્યુ હતું. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(2:40 pm IST)