Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

માનહાનીનો દાવો પરત

કુમાર વિશ્વાસ સામે જેટલીએ કેસ પાછો ખેંચ્યો

નવી દિલ્હી, તા. ર૮ : કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આપના નેતા અને કવિકુમાર વિશ્વાસ પર કરેલો માનહાની કેસ પાછો ખેંચી લીધો છે તેની સાથે જ અનેક મહિનાઓથી ચાલી રહેલા આ કેસનો અંત પણ આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ અરૂણ જેટલીને એક પત્ર લખીને સમગ્ર મામલામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો આ જ પત્રના આધાર પર અરૂણ જેટલી આ કેસ પાછો ખેંચી લીધો.

વિશ્વાસે પત્રમાં લખ્યું કે તેના પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના કહેવા પર જ તેઓએ પક્ષના અન્ય કાર્યકર્તાઓ અને પ્રવકતાઓએ તેની વાત રીપીટ કરી હતી. પત્રમાં વિશ્વાસે આરોપ મૂકયો કે હવે અરવિંદ કેજરીવાલ તેના સંપર્કમાં નથી અને ખોટુ બોલીને પોતે ગાયબ થઇ ગયા. વિશ્વાસે તેના પત્રમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ અત્યંત તીખા પ્રહારો કર્યા છે.

(4:13 pm IST)