Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11 વાગ્યા સુધીમાં નવા 3,45 લાખથી વધુ કેસ :30,68 લાખથી વધુ એક્ટીવ કેસ :વધુ 2,45 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : આજે વધુ 3123 દર્દીના મોત:

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,309 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 29,751 કેસ, કર્ણાટકમાં 39,047 કેસ, કેરળમાં 35,013 કેસ, છત્તીસગઢમાં 15,563 કેસ, રાજસ્થાનમાં 16,613 કેસ, મધ્યપ્રદેશમાં 12,758 કેસ,ગુજરાતમાં 14,120 કેસ, બિહારમાં 13,774 કેસ, તામિલનાડુમાં 16,665 કેસ,પશ્ચિમ બંગાળમાં 17,207 કેસ, આંધ્ર્પ્રદેશમાં 14,669 કેસ, હરિયાણામાં 12,444 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.45,103 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3123 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.04,295 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.45,103 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,83,34,035 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 30,68,397 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.45,392 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.50,53,456 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં - મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,309 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 29,751 કેસ, કર્ણાટકમાં 39,047 કેસ, કેરળમાં 35,013 કેસ, છત્તીસગઢમાં 15,563 કેસ, રાજસ્થાનમાં 16,613 કેસ, મધ્યપ્રદેશમાં 12,758 કેસ,ગુજરાતમાં 14,120 કેસ, બિહારમાં 13,774 કેસ, તામિલનાડુમાં 16,665 કેસ,પશ્ચિમ બંગાળમાં 17,207 કેસ, આંધ્ર્પ્રદેશમાં 14,669 કેસ, હરિયાણામાં 12,444 કેસ  નોંધાયા છે

(12:03 am IST)