Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે દિલ્હીને એક દિવસ માટે પણ તેને ફાળવવામાં આવેલા ક્વોટા જેટલો ઓક્સિજન મળેલ નથી

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે દિલ્હીને એક દિવસ માટે પણ તેને નિયત ફાળવવામાં આવેલા ક્વોટા જેટલું ઓક્સિજન મળ્યું નથી, જેનું વાસ્તવિક કારણ અંતર છે.  કોર્ટે એમિકસ ક્યુરિ રાજશેખર રાવને ઓક્સિજન ફાળવણી અંગે સૂચનો આપવા નિર્દેશ આપ્યો.  કોર્ટે રાવને સોલિસીટર જનરલ તુષાર મહેતાને પણ પોતાનો અભિપ્રાય આપવાનો નિર્દેશ આપ્યો હતો.  કોર્ટે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે કેન્દ્ર સરકાર લોજિસ્ટિક્સ સમસ્યા પર ધ્યાન આપશે.  સુનાવણી દરમિયાન એડવોકેટ રવિ ગુપ્તાએ મહારાજા અગ્રસેન હોસ્પિટલના દર્દીની અરજીને રદ કરી. કોર્ટે કહ્યું કે અમે વ્યક્તિગત બાબતો અંગે કોઈ આદેશ આપી શકતા નથી.  એમિકસ જ્યૂરી શ્રી  રાવે કહ્યું કે જે લોકો અંગત રીતે ઓક્સિજન સિલિન્ડર લેવા જઇ રહ્યા છે તેને પોલીસ હેરાન કરે છે.  તેમણે કહ્યું કે દવાઓ પૂરી પાડવાના નામે મોટુ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.  ત્યારે કોર્ટે રાહુલ મેહરાને આ મામલે વિચારણા કરવા નિર્દેશ આપ્યો હતો.  

રફતારે હિન્દુસ્તાન સમાચારને ટાંકીને જણાવ્યું છે કે સુનાવણી દરમિયાન રાહુલ મેહરાએ કહ્યું કે ઘરોમાં પણ ઘણા સિલિન્ડર છે. આવુ કરવાની જરૂર નથી.  ગઈકાલે, એક ૮૦ વર્ષીય વ્યક્તિએ ત્રીસ વર્ષના યુવાન માટે હોસ્પિટલનો પલંગ ખાલી કરી આપી પોતે મૃત્યુ પામ્યા અંગે  કોર્ટે કહ્યું કે આ સ્પિરિટ છે., માનવીની ભાવના છે. શ્રી  મેહરા અને કોર્ટે લોકોને અપીલ કરી હતી કે સિલિન્ડરનો સંઘરો ન કરે.

(10:40 pm IST)