Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દેશમાં કોરોના વાયરસના ૧૪૯ નવા મામલા સામે આવ્યા : અત્યાર સુધી ૯૪પ સંક્રમિત થયા

નવી દિલ્હી : દેશમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન કોરોના વાયરસ કોવિદ-૧૯ ના ૧૪૯ નવા મામલા સામે આવ્યા પછી કુલ કોરોના વાયરસ સંક્રમિતોની સંખયા વધીને ૯૪પ થઇ ગઇ છે. બે દર્દીના મોત થયા પછી આંકડો ૧૯ થઇ ગઇ છે. બે દર્દીના મોત થયા પછી આંકડો ૧૯ થઇ ગયો છે.  અત્યાર સુધીમાં ૮૪ લોકો સાજા થઇ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રલયાના પ્રવકતા લગવ અગ્રવાલએ સંવાદદાતા સંમેલનમાં બતાવ્યું કે જે બે દર્દીના મોત થયા છે એમની ઉંમર વધારે હતી અને તેઓ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના સંપકમાં આવ્યા હતા. લોક ડાઉન તથા સોશલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રીય થયું છે. કેન્દ્ર સરકારએ કોરોના વાયરસથી નિપટવા માટે બધા રાજયો માટે નોડલ અધિકારી નિયુકત કર્યા છે.

(9:25 pm IST)