Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અબુધાબીમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઓનલાઇન સત્સંગ : કોરોના વાઇરસને કારણે મંદિરો બંધ

અબુધાબી : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કહેરને કારણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે.હરિભક્તો ભગવાનના દર્શન ઘેરબેઠા કરી શકે એટલામાટે સોશિઅલ મીડિયાના માધ્યમો દ્વારા દર્શનની વ્યવસ્થા કરાઈ છે.એટલુંજ નહીં સત્સંગ પણ ઓનલાઇન થઇ રહ્યો છે.જે મુજબ ગઈકાલ શુક્રવારે અબુધાબીમાં ઓનલાઇન સત્સંગનું આયોજન કરાયું હતું.બપોરે ચાર વાગ્યે કરાયેલી વ્યવસ્થા મુજબ હરિભક્તો તેમાં હોંશે હોંશે જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે યુએઈ માં અત્યાર સુધીના કોરોના વાઇરસના 405 પોઝિટિવ કેસ નોંધાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)