Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના સામે લડવા રેલવે સજ્જ : ટ્રેનને આઇસોલેશન વોર્ડમાં ફેરવાઇ : ઓપરેશન થિયેટર પણ નિર્માણ કરાયા

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના વાયરસના કહેરને લીધી ચીનને દસ દિવસમાં ૧ હજાર બેડની હોસ્પિટલ બનાવવી પડી હતી. ત્યારે ભારતમાં પણ કોરોનાને લીધે સતત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલના વધતા ભારણ વચ્ચે સરકારે ટ્રેનને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધી છે. અહીંના ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યા છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે. રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફિટંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે.

કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શકય પ્રયત્ન કરી રહી છે. ભારતીય રેલવેએ ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવવાનું શરુ કરી દીધું છે. જેમાં ૬ બર્થ વાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડિલ બર્થ અને સામે વાળા ત્રણેય બર્થને અલગ કરી દેવાય છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે.

ટ્રેનના એક ભાગમાં એક દર્દીને રાખવામાં આવશે. આનાથી દરેક દર્દી વચ્ચે યોગ્ય અંતર રાખી શકાશે. સીડીઓ પણ હટાવી દેવાઈ છે. જયારે ટ્રેનના બાથરૂમ વાળા ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન મહામારી સામે લડવા માટે બહું મહત્વની સાબિત થઈ શકે છે. સુનિલ મહલાએ કહ્યું કે મેડિકલ રિલિફ ટ્રેન પણ ચલાવવામાં આવી શકે છે. સાથે સાથે મેડિકલ સામગ્રી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે માટે ગુડ્સ ટ્રેનનો ઉપયોગ કરી સફળતા મેળવી શકાય છે. રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફિટંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે.

કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વધુ ૬-૬ અને રાજસ્થાનમાં ૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ ૯૦૬ કેસ સામે આવી ચુકયા છે. જેમાંથી ૮૦૩ સંક્રમિત લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જયારે ૮૩ લોકો સાજા થઈ ગયા છે. આ આંકડો worldometers. info પ્રમાણે છે. ભારતમાં ૩૬ કલાકમાં ૧૫૧ કેસ નોંધાયા છે. આ પહેલા ૨૩ માર્ચે એક દિવસમા ૧૦૨ લોકોના સંક્રમિત થયાના કેસ સામે આવ્યા હતા.

(4:00 pm IST)