Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દેશના અનેક રાજ્યોમાંથી પગપાળા સ્થળાંતર કરતાં મજૂરોનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

વહીવટી તંત્રને આ લોકોને આશ્રયસ્થાન અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કરવા અરજી કરાઈ

નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાંથી મજૂરોનું સ્થળાંતર ચિંતાનું કારણ બની ગયું છે. મજૂરો પગપાળા જ પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ વહીવટી તંત્રને આ લોકોને આશ્રયસ્થાન અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કરે.

લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. લોકડાઉન દરમિયાન સૌથી વધુ સમસ્યા મજૂરોની વધી છે. દરરોજ કમાય અને ખાતા આ મજૂરોની સામે સૌથી મોટી સમસ્યા રોજગાર છે. તેમની પાસે હાલ કોઈ કામ નથી. આવી સ્થિતિમાં તે વતન પરત ફરવા પગપાળા જે તે રાજ્યોમાંથી સ્થળાંતર કરવા લાગ્યા છે.

(10:08 am IST)