Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો સામે થઇ રહેલી કાર્યવાહી યોગ્ય નથી : ચર્ચા કરી ઉકેલ લાવો : યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર પ્રમુખ મિશેલ બેશલેટનો ભારત સરકારને અનુરોધ

વોશિંગટન : ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી કૃષિ કાનૂન વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.આથી યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર પ્રમુખ મિશેલ બેશલેટએ ભારત સરકારને અનુરોધ કરતા જણાવ્યું છે કે ચર્ચા  કરી કોયડાનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે કાનૂનનો વિરોધ કરી રહેલા લોકોના વાણી સ્વાતંત્ર્યનો ભંગ કરવાનું સરકારનું પગલું યોગ્ય નથી.તેમને શાંતિપૂર્ણ દેખાવો કરવાનો હક્ક છે.સાથોસાથ બંને પક્ષે ચર્ચા કરી કોયડાનો યોગ્ય ઉકેલ લાવવો પણ જરૂરી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)