Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

દેશભક્ત વ્યક્તિ સૈનિકોની શહીદી પર ફાયદો લેવાનુ વિચારી શકે નહી ;યેદિયુરપ્પાનું નિવેદન શરમજનક

પૂર્વ સીએમ સિધ્ધારમૈયાએ કહ્યું આવુ કોઈ દેશદ્રોહી જ કરી શકે છે.

કર્ણાટકના ભાજપ પ્રદેશ પ્રમુખ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર કરાયેલા બોમ્બ મારા બાદ આખા દેશમાં પીએમ મોદીની લહેર ચાલી રહી છે અને તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે.

   યેદિયુરપ્પાના નિવેદનને કર્ણાટક કોંગ્રેસ શરમજનક ગણાવ્યુ છે. પૂર્વ સીએમ સિધ્ધારમૈયાએ કહ્યું હતું કે વોટ મેળવવા માટે ભાજપની યોજના જાણીને હું હેરાન છે. હજી તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે અને ભાજપ ચૂંટણીમાં ફાયદાની ગણતરી કરી રહ્યુ છે

  . કોઈ પણ દેશભક્ત વ્યક્તિ સૈનિકોની શહીદી પર આ પ્રકારનો  ફાયદો લેવાનુ વિચારી શકે નહી. આવુ કોઈ દેશદ્રોહી જ કરી શકે છે. હવે આરએસએસનું આ માટે શું કહેવુ છે? શહીદોના પરિવારોના આંસુ હજી રોકાયા નથી અને સીટોની ગણતરી થવા માંડી છે. આ બહુ જ શરમનજક વાત છે

(2:29 pm IST)