Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

એર સ્ટ્રાઈકનો ભાજપને લાભ મળશે :કર્ણાટકમાં 28માંથી 22 લોકસભા બેઠકો જીતશે :યેદિયુરપ્પાએ વિવાદ સર્જ્યો

યેદિયુરપ્પાએ કહ્યું બોમ્બ મારા બાદ આખા દેશમાં પીએમ મોદીની લહેર ચાલી રહી છે

ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકનો રાજકીય લાભ મળશે તેમ કર્ણાટક ભાજપના પ્રમુખ બી એસ યેદિયુરપ્પાએ કહ્યુ છે. જેના પગલે વિવાદ પણ સર્જાયો છે. 

     યેદિયુરપ્પાએ કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર કરાયેલા બોમ્બ મારા બાદ આખા દેશમાં પીએમ મોદીની લહેર ચાલી રહી છે અને તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે.

   યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે એર સ્ટ્રાઈકના કારણે ભાજપને કર્ણાટકમાં 28માંથી 22 લોકસભા બેઠકો પર જીત મળશે. સરકારની પાકિસ્તાન સામેની કાર્યવાહીથી લોકોમાં જોશ છે.

(2:23 pm IST)