Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પુલવામા હુમલાની જગ્યા પરથી વધુ આરડીએક્સ કેન મળી આવ્યા

પુલવામામાં આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તયાસ એજન્સીને હુમલાની જગ્યા પરથી એક ટીન કેનસ્ટેર મળ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં લગભગ 25થી 30 કિલોગ્રામ આરડીએક્સ ભરેલું હોવાનો અનુમાન છે. તપાસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર કેનસ્ટેરને વાહનમાં મુકવામાં આવ્યો હતો જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર તે હુમલાના પહેલાના દિવસે 15 ફેબ્રુઆરીએ એટેક સાઈડ પર ગયા હાતા જ્યાં તેને આરડીએક્સ વાળા કેનસ્ટેર મળ્યા છે. તે હુમલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના (CRPF) કાફલા પર કરવામાં આવ્યો હતો. જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા

(12:00 am IST)