Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વાસ્તુ પ્રમાણે ઘર કે ઓફિસના પગથિયાની સીડી દક્ષિણ- પશ્ચિમ દિશામાં બનાવવી જોઇએ

સીડીને દિવાલને અડીને બનાવવાથી દેવુ ઓછુ થશે અને કમાણીમાં વધારો થશે

નવી દિલ્હીઃ ઘણા લોકો ખુબ મહેનત કરે છતાં પણ તેમનું દેવું ઓછું નથી થતું. વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે, જે લોકોની સાથે આવું થાય છે તેમના પર વાસ્તુદોષ લાગેલો હોય છે. વાસ્તુ મુજબ જે લોકોની સાથે આવું થાય છે તેમના ઘર કે ઓફિસમાં પગથિયાં અને પાણીની સપ્લાય યોગ્ય દિશામાં નથી હોતી. જેના કારણે તેમની કમાણીમાં વધારો નથી થતો. જો વાસ્તુ મુજબ ઘર કે ઓફિસમાં સિડીઓ બનાવવામાં આવે તો તમને સફળતા મળશે અને દેવામાંથી પણ મુક્તિ મળશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સિટી અને પાણીની સપ્લાય મામલે શું કહે છે વાસ્તુશાસ્ત્ર.

કઈ દિશામાં હોવી જોઈએ પાણી સપ્લાયની વ્યવસ્થાઃ

જે લોકો દેવાથી પરેશાન છે તેઓ ફક્ત તેમના ઘર અથવા ઓફિસનેમાં પાણીની સપ્લાય કઈ દિશામાં પહોંચાડવામાં આવે છે તેના પર ધ્યાન આપો. વાસ્તવમાં પાણીની વ્યવસ્થાની દિશા તમારા જીવન પર મોટી અસર કરે છે. એટલા માટે ઘર કે દુકાનમાં ઉત્તર દિશામાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

કઈ દિશામાં હોવી જોઈએ સિડીઃ

વાસ્તુમાં દિશાનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, જો ઘર અથવા ઓફિસમાં યોગ્ય દિશા અનુસાર સીડીઓ બનાવવામાં ન આવે તો તેનાથી કમાણી કરવામાં મદદ મળતી નથી અને તમે દેવાના બોજ હેઠળ દબાઈ જાવ છો. એટલા માટે યોગ્ય દિશામાં સીડી બનાવો.

કઈ દિશામાં બનાવવી જોઈએ સિડીઃ

જો તમે તમારી કમાણીમાં વધારો મેળવવા માંગતા હોવ અને દેવાના બોજથી મુક્ત થવા માંગતા હોવ તો ઘર કે ઓફિસમાં સીડી બનાવતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન રાખો. હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં સીડી બનાવો. એ પણ ધ્યાનમાં રાખો કે સીડી દિવાલને અડીને બનાવવી જોઈએ. આમ કરવાથી તમે દેવાના બોજમાંથી મુક્ત થશો અને કમાણી વધારો મળશે.

આ દિશામાં ન બનાવો સિટીઃ

જ્યારે પણ તમે ઘર કે દુકાનમાં સીડીઓ બનાવતા હોવ ત્યારે ધ્યાન રાખો કે ક્યારેય પણ પશ્ચિમ દિશામાં સીડી ન બનાવો. આ દિશામાં સીડી બાંધવાથી દેવું વધે છે અને કમાવામાં વરદાન નથી મળતું. આ દિશામાં સીડી બનાવવાથી પરિવારના આખા સભ્યો પર ખરાબ અસર પડે છે.

(5:01 pm IST)