Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત

ગુજરાત રાજ્યની ઝાંખીના સૌ કલાકારો તથા માહિતી નિયામકની કચેરીના અધિકારીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુલાકાત કરી

નવી દિલ્હી : 74-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને મનાવવાની સાથે શરુ થઇ ગયો છે; જે તા.31 જાન્યુઆરી , 2023 સુધી ચાલશે.

26 જાન્યુઆરીના રોજ ''કર્તવ્ય પથ'' ઉપર રાષ્ટ્રીય પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓના નિદર્શન બાદ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની એક શ્રુંખલારૂપે તા.27 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની ઝાંખીના સૌ કલાકારો તથા માહિતી નિયામકની કચેરીના અધિકારીઓ સર્વ પંકજ મોદી અને સંજય કચોટે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુની સાથે મુલાકાત કરી હતી.

(12:00 am IST)