Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કાર્યકર્તાઓનો ઉત્સાહ, જનપ્રતિસાદ, યોગીજીનો વિશ્વાસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસ થકી ઉતરપ્રદેશમાં ફરી ભગવો લહેરાશેઃ અમિતભાઇ શાહ : રામભાઇ મોકરીયાની સહિતના અગ્રણીઓની ઉપસ્થિતી

રાજકોટ : શારદા યુનિવર્સિટી, ગ્રેટર નોઇડા ખાતે ભારતના ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા અને ગૌતમબુદ્ઘનગર, નોઇડા તથા બુલંદશહેર, જિલ્લાના વિધાનસભાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંવાદ કર્યો હતો. બેઠકમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, રાજયસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, સહપ્રભારી શ્રી અભિમન્યુજી, સાંસદ શ્રી ડો. મહેશ શર્મા, ગ્રેટર નોઇડા ના એમ. એલ. સી. શ્રી શ્રીચંદ શર્મા, રાજયસભાના સાંસદ શ્રી સુરેન્દ્રસિંઘ નાગર, તથા જિલ્લાના પ્રમુખ તથા મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ ઉત્ત્।રપ્રદેશમાં ગુજરાતના બ્રાહ્મણ અગ્રણી એવાં રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા જોડે ચૂંટણી સંદર્ભિત ચર્ચા વિચારણા કરી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, રામભાઈ એ ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહને આ બેઠક દરમ્યાન અત્યાર સુધીના ચૂંટણી સંદર્ભિત રિપોર્ટ સોંપ્યા છે. રામભાઈ મોકરીયા એ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, 'ઉત્ત્।રપ્રદેશના કાર્યકર્તાઓ નો ઉત્સાહ, જનપ્રતિસાદ, યોગીનો વિશ્વાસ અને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસ થકી ઉત્ત્।રપ્રદેશમાં ફરી ભગવો લહેરાશે.'

(11:53 am IST)