Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ત્રણ કૃષિ કાયદાને વિપક્ષ સાથે ચર્ચા વગર સદનમાં બળજબરીથી પસાર કરાયાના આક્ષેપ સાથે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણનો કોંગ્રેસ સહિત ૧૬ પક્ષો દ્વારા બહિષ્કાર કરાશે

નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થઇ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્ને સદનને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણનો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), શિવસેના, અકાલી દળ, આમ આદમી પાર્ટી (આપ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સહિત 16 પાર્ટીઓ બહિષ્કાર કરશે. આ તમામ પાર્ટીઓ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે.

કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમે તમામ 16 રાજકીય દળ એક નિવેદન જાહેર કરી રહ્યા છીએ કે અમે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરીશું, જે કાલે સંસદમાં આપવામાં આવશે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ એ છે કે ત્રણ કૃષિ કાયદાને વિપક્ષ સાથે ચર્ચા વગર સદનમાં બળજબરી પસાર કરવામાં આવ્યુ છે.

આ પાર્ટીઓ કરશે બહિષ્કાર

કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), નેશનલ કોન્ફ્રેન્સ (NC), ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ (TMC), શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી, સીપીઆઇ (એમ), આઇજેએમએલ, આરસીપી, પીડીપી, એમડીએમકે, કેરલ કોંગ્રેસ, એઆઇયૂડીએફ. આ સિવાય અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ બહિષ્કાર કરશે.

(5:18 pm IST)