Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બાપૂની શહાદતના દિવસે સીએએ પર પુરા દેશમાં યાત્રા કરશે સમાજવાદીઃ યાત્રાનો હેતુ ભારત જોડો-બંધારણ બચાવો

           રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શહાદત દિવસ પર દેશભરના સમાજવાદી ૩૦ જાન્યુઆરીથી રાષ્ટ્રીય નાગરિકતા કાનૂનના વિરોધમાં પુરા દેશમાં યાત્રા કાઢશે. સમાજવાદી સમાગમના નેતાઓએે અહીં પત્રકારોને બતાવ્યું કે ત્રણ ચરણમાં થનારી યાત્રા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જયંતિ વર્ષમા સમાજવાદી આંદોલનના ૮પ વર્ષ પુરા થવાના અવસર પર કાઢવામા આવી રહી છે. રાષ્ટ્ર સેવા દળ, હિન્દુ મજદૂર સભા જન આંદોલનોના રાષ્ટ્રીય સમન્વય આપણે ભારતના લોકો અને યુસુફ મેહરઅલી સંટરની ભારત જોડો- બંધારણ બચાવો સમાજવાદી વિચાર યાત્રા ગાંધી સ્મૃતિ ૩૦ જનવરી રોડ દિલ્લીથી શરૂ થશે.

            સમાજવાદી સમાગમના નેતા પ્રોરાજકુમાર જૈન, પ્રો. આનંદકુમાર હીન્દ મજદૂર સભાના મહામંત્રી હરભજનસી઼હ સિદ્ધુ, મંજુ મોહન, શરદ યાદવ, શરદ પવાર, સીતારામ યેચૂરી વિગેરે ગણમાન્ય નેતાઓ રેલીને પ્રસ્થાન કરાવશે.

(10:19 pm IST)