Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહયું 7 પેઢીઓ પણ આસામને ભારતથી અલગ કરી શકશે નહીં

શાહે કહ્યું કે શરજીલ કનૈયાકુમારથી પણ ખતરનાક છે.

નવી દિલ્હી : છત્તીસગઢના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ચેતવણી આપી કે આસામને અલગ કરવાના સપનાઓ જોનારોની ખેર નથી, 7 પેઢીઓ પણ આસામને ભારતથી અલગ કરી શકશે નહીં.અમિત શાહે કહ્યું કે શરજીલ કનૈયાકુમારથી પણ ખતરનાક છે. તમે સાંભળો તેના વીડિયો, જેમાં તે ભારતની વિરૂદ્ધમાં બોલી રહ્યો છે.

અમિત શાહે આરોપ લગાવ્યો કે નાગરિકતા કાયદા મામલે કોંગ્રેસ ભારત વિરોધી તત્વોને મદદ કરી રહી છે, સાથે જ તેમને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમત્તીઓ હિન્દુઓને મદદ કરવામાં કંઇ ખોટું ન હોવાની વાત કરી, શાહે ભારત તેરે ટુકડે ટુકડે હોંગે કહેનારાઓ દેશ વિરોધીઓ ને જેલમાં નાખી દેવાની વાત કરી હતી

(9:11 pm IST)