Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પાકિસ્તાનમાં વધુ કે હિન્દૂ મંદિર પર હુમલો કરી ભારે તોડફોડ : આતંક

ટોળાએ માતા 'રાણી ભટિયાણી મંદિરમાં પવિત્ર મૂર્તિ અને ગ્રંથોને નુકસાન પહોંચાડ્યું

નવી દિલ્હી : પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય 'મંદિરમાં તોડફોડ, હુમલાની પ્રક્રિયા અટકી નથી. પાકિસ્તાન સિંઘ પ્રાંતના છાચરો શહેર નજીક એક ગામમાં કેટલાક લોકોએ હિંદુ મંદિર પર હુમલો કરી ભારે 'તોડફોડ કરી હતી. આ ઘટના ના ફોટા શેર 'કરતા પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયત'ટ્વિટ કર્યું હતું કે, સિંધના અન્ય એક હિન્દ મંદિરમાં હવે તોડફોડ કરવામાં આવી છે.

થરપારકર ના છાચરો  ખાતે ટોળાએ માતા 'રાણી ભટિયાણી મંદિરમાં પવિત્ર મૂર્તિ અને ગ્રંથોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના સંદર્ભે ચાર અજાણ્યા લોકો સામે ગુન્હો નોંધાયો છે. અગાઉ સિંધમાં નાનકાના સાહિબ ગુરુદ્વારામાં પણ કટ્ટરપંથી પથ્થરમારો કર્યો હતો.

(12:52 am IST)