Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ભાજપમાંથી મોટી સંખ્યામાં નેતાઓ એનસીપીમાં જોડાશેઃ આગામી ત્રણ-ચાર મહિનામાં એનસીપીમાં વાપસી કરશે : અજીત પવાર

મુંબઇ : મહારાષ્ટ્રના નેતા અજીત પવારે દાવો કર્યો છે કે બહુ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ટુંક સમયમાં એનસીપીમાં જાડાશે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા એવું વિચારીને જે ભાજપમાં જોડાય ગયા હતા કે ભાજપ સતામાં આવશે અને તેમની વિકાસ યોજનાઓને આગળ વધારવામાં મદદ મળશે પરંતુ આવુ થયું નથી. આ રીતે જે નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા હતા તેઓ આગામી ત્રણ-ચાર મહિનામાં એનસીપીમાં વાપસી કરશે. પવારના મતે ભાજપમાં જોડાયેલા આ નેતાઓ હવે નિરાશ છે અને એનસીપીમાં જોડાવા આતુર છે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં આચાર સહિત અમલી હોવાથી તેમણે કોઇ નેતાનું નામ લીધા વિના આવું નિવેદન આપ્યું હતું.

(12:13 pm IST)