Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

એસબીઆઈ સાથે મર્જ બેંકના ચેક અમાન્ય થશે

ખાતા ધારકોના જુના ચેક અમાન્ય

        નવીદિલ્હી, તા. ૨૭ : પહેલી જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા ધારકો માટે નવા નિયમો લાગૂ થઇ જશે. જે લોકોની પાસે એસબીઆઈના મર્જ થઇ ચુકેલી બેંકોની ચેકબુક છે તેમને બદલાવી લેવાની જરૂર રહેશે. આ બેંકોની જુની ચેકબુક અને આઈએફસી કોડ ૩૧મી ડિસેમ્બર બાદ માન્ય રહેશે નહીં. પહેલી જાન્યુઆરીથી એસબીઆઈના એસોસિએટ્સ બેંકોના જુના ચેક અમાન્ય થઇ જશે. એટલે કે, એવી બેંકો જે એસબીઆઈમાં મર્જ થઇ ચુકી છે તેમની ચેકબુક હવે કોઇ કામની રહેશે નહીં. એસબીઆઈના આદેશ મુજબ સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ રાયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેંકના ખાતા ધારકોને નવી ચેકબુક માટે અરજી કરવી પડશે. નવી ચેકબુક માટે એસબીઆઈની શાખા, એટીએમ અથવા તો મોબાઇલ એપ પર જઇને અરજી કરી શકાય છે.

(7:35 pm IST)