Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોદી ન્યુ ઇન્ડિયાના ન્યુ સાન્તા

દેશ માટે લાવી રહ્યા છે સારા સમાચાર : અનંત કુમાર

નવી દિલ્હી તા.૨૭ : સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે પીએમ મોદીને નવા ભારતના સાંતા ગણાવ્યા છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, પીએમ મોદી ન્યૂ ઈન્ડિયાના ન્યૂ સાન્તા છે. તેઓ ન્યૂ ઈન્ડિયા માટે સારા સમાચાર લાવશે. ઉપરાંત ત્રણ તલાક પરના બિલને પાસ કરવામાં તમામ વિપક્ષો સહયોગ કરે તેવી અપીલ કરી હતી.

ચાર દિવસના વિરામ બાદ બુધવારે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી ફરીવાર શરૂ થઈ હતી. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે વિપક્ષને અપીલ કરતાં જણાવ્યું કે, હું તમામ વિપક્ષી જૂથોને ત્રણ તલાક પર બિલને પાસ કરવામાં મદદ કરે તેવી અપીલ કરું છું.

અનંત કુમારના નિવેદન બાદ ટ્રોલરોએ ક્રિસમસનો જશ્ન છીડીને સમગ્ર ધ્યાન ટ્વિટ પર લગાવીને મજાક ઉડાડવાનું શરૂ કરી દીધું. કોઈએ લખ્યું કે પહેલા તમારા સાન્તાને કહો કે સંસદમાં હાજર થાય. એક યુઝરે લખ્યું કે, 'જિંગલ બેલ'રાઇમને 'જુમલા બેલ'માં બદલી દીધી.

(5:00 pm IST)