Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કાશ્મીરને જીતવા દિલ્હી, કોલકતા, બેંગ્લોરને વોર ઝોન બનાવી દયો

લોહી તરસ્યા અલ-કાયદાએ એક નવો વિડીયો જારી કર્યોઃ કાશ્મીરને જીતવાની નવી યોજનાનો ખુલાસો : મોટા શહેરો ઉપર હુમલા કરશુ તો લોકો ડરી જશે અને કાશ્મીર ઉપરથી પકડ હળવી કરી દેશેઃ સેના અને સરકારની શાંતિપુર્ણ દુનિયાને વોર ઝોનમાં તબદીલ કરી દેવા ધમકી

નવી દિલ્હી તા.ર૭ : લોહી તરસ્યા ત્રાસવાદી સંગઠન અલકાયદાએ ગઇકાલે એક વિડીયો જારી કરી કાશ્મીરને જીતવાની નવી યોજનાનો ખુલાસો કર્યો છે. જેમાં જણાવાયુ છે કે કાશ્મીર જીતવા માટે તેણે ભારતના અનેક શહેરોમાં લડાઇ શરૂ કરવી પડશે. ત્રાસવાદી સંગઠનના કમાન્ડર ઉસામા મહેમુદ વિડીયોમાં કહે છે કે જો કોલકતા, બેંગ્લોર અને નવી દિલ્હી પર હુમલા કરીએ તો તેઓ જાગી જશે અને કાશ્મીરમાંથી પોતાની પકડ હળવી કરી દેશે. ભારતે છ લાખ સૈનિકોને માત્ર કાશ્મીરમાં પકડ બનાવવા માટે જ તૈનાત કર્યા છે.

મીડીયા રિપોર્ટ અનુસાર મહેમુદે ઝેર ઓકતા કહ્યુ છે કે ભારતીય સેના અને હિન્દુ સરકારની શાંતિપુર્ણ દુનિયાને 'વોર ઝોન'માં બદલી નાંખો. મહેમુદે લોકોને જણાવતા કહ્યુ છે કે, જેહાદી પ્રયાસોને ઉપમહાદ્વીપમાં મજબુત કરવા પડશે અને સમગ્ર વિસ્તારના મુસ્લિમોને કાશ્મીરની સાથે ઉભુ રહેવુ પડશે.

અલકાયદાનો કાફલો આગળ વધી રહ્યો છે. પાકિસ્તાનથી આવેલા સેંકડો મુજાહિદ્દીન તેમા જોડાઇ રહ્યા છે અને કાશ્મીર માટે લડી રહ્યા છે પરંતુ પાકિસ્તાન સેના ઓપરેશન ચલાવી તેને પરાણે રોકી રહ્યા છે. આ વિડીયો આતંકીઓ સાથે એક ઇન્ટરવ્યુમાં બનાવવામાં આવેલ છે.

તેણે વધુમાં ઝેર ઓકતા કહ્યુ છે કે અમેરિકા તરફ જુઓ, અમેરિકા માટે સમગ્ર વિશ્વની સુરક્ષા કરવાનુ હવે મુશ્કેલ બની રહ્યુ છે. ભારતીય આર્મી અને હિન્દુ સરકારની શાંતિની દુનિયાને વોર ઝોનમાં બદલી નાખવાની છે. તાજેતરમાં અલકરાર નામના સંગઠનની રચના થઇ એ જ દિવસે આ વિડીયો જારી કરવામાં આવેલ છે.

(12:26 am IST)