Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પંજાબમાં ટ્રેનની અડફેટે ત્રણ બાળકોના કપાય જવાથી કરુણ મોત થયા

 પરપ્રાંતિય મજૂરોના ચાર બાળકો સતલજ નદી પરના પુલ નજીક આવેલા રેલવે ટ્રેક પાસે રમતા હતા

પંજાબના રૂપનગર જિલ્લાના શ્રી કિરતપુર સાહિબ પાસે રવિવારે પેસેન્જર ટ્રેનની ટક્કરથી ત્રણ બાળકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે પરપ્રાંતિય મજૂરોના ચાર બાળકો સતલજ નદી પરના પુલ નજીક આવેલા  રેલવે ટ્રેક પાસે રમતા હતા.  પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ચોથો બાળક ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  પોલીસે જણાવ્યું કે બાળકોની ઉંમર ૭ થી ૧૧ વર્ષની વચ્ચે છે.

(11:49 pm IST)