Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મહા વિકાસ અઘાડીના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ બધા એક પરિવારની જેમ કામ કરશું

વિચાર્યુ નહોતુ કે હું સીએમ બનીશ. સંઘર્ષના સમયે બાલાસાહેબની બહુ યાદ આવે છે.

મુંબઈ : મહાવિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવને મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં બધા ધારાસભ્યોએ સર્વસંમતિથી પાસ કર્યો હતો ત્યારબાદ એનસીપી પ્રમુખ શરદ પવારે તેમને બુકે ગિફ્ટ આપ્યુ.હતું 

               મહાવિકાસ અઘાડીના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હું સીએમ બનીશ. સંઘર્ષના સમયે બાલાસાહેબની બહુ યાદ આવે છે. મહા વિકાસ અઘાડીના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર માન્યો.હતો 

              ઉદ્ધવે કહ્યુ કે તમે લોકોએ મને તમારો નેતા ચૂંટ્યો છે. અમે બધા એક પરિવારની જેમ કામ કરીશુ. આમ આદમીને લાગવુ જોઈએ કે આ તેમની સરકાર છે. સરકાર બન્યા બાદ મોટા ભાઈને મળવા માટે દિલ્લી જવાનો છુ

(12:00 am IST)