Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રોકને લઈને બેન્કોને જલદી નિર્ણય કરવા સુપ્રીમનો નિર્દેશ

આમ્રપાલી પ્રોજેક્ટ પર સુપ્રીમનું કડક વલણ : એસબીઆઈ અને યુકો બેન્કે જ રોકાણનો પ્રસ્તાવ તૈયાર કર્યો, ૩૦૦ ખરીદદારોને દિવાળી પર પઝેશન અપાશે

નવી દિલ્હી, તા.૨૬ :આમ્રપાલી પ્રોજેક્ટમાં રોકાણને લઈને સુપ્રીમ કોર્ટે બેક્નોને જલ્દીથી જલ્દી પ્રપોઝલ ફાઈનલ કરવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધી માત્ર એસબીઆઈ અને યુકો બેક્ને જ ૪૫૦ કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અદાલતનુ કહેવુ છે કે બીજા બેક્ન આગામી બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ નિર્ણય લે. અગાઉ કોર્ટે જણાવ્યુ કે આમ્રપાલી ગ્રૂપના ૩૦૦ ફ્લેટ ખરીદદારોને દિવાળીના અવસરે પઝેશન આપવામાં આવશે. કોર્ટ દ્વારા નિયુક્ત રિસીવર આર વેંકટરમાનીએ જણાવ્યુ કે આ ફ્લેટ તે ૨૩૦૦ ફ્લેટ્સથી અલગ છે, જેમણે એનબીસીસીના વાયદા અનુસાર નોઈડાના ખરીદારોને સોંપવામાં આવશે. મામલાની સુનાવણી દરમિયાન વેંકટરમાનીએ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે જણાવ્યુ કે છ બેંકોના રોકાણ પર સંમતિ વર્તાવી હતી, પરંતુ પાછલા દોઢ મહિનામાં વાત આગળ વધી શકતી નથી. જો કોર્ટ દખલ દે છે તો તેમાં તેજી આવી શકે છે. રિસીવરે સપ્ટેમ્બરમાં કોર્ટે જણાવ્યુ હતુ કે તેમણે બેક્ન ઑફ બરોડા, પંજાબ નેશનલ બેક્ન, બેક્ન ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેક્ન ઑફ ઈન્ડિયા, યુકો બેક્ન અને પંજાબ અને સિંઘ બેક્નના અધિકારીઓ સાથે કેટલીક બેઠક કરી છે. આ દરમિયાન બેક્ન અધિકારી ફંડિંગ એક્સટેન્ડ કરવા પર સંમત થયા છે અને આ સંબંધમાં પેપરની કાર્યવાહી જલ્દી પૂરી થઈ જશે. જોકે આવુ થયુ નહીં.  એસબીઆઈ અને યુકો બેક્ન સિવાય કોઈ પણ બેક્ને આ મુદ્દે ગંભીરતા બતાવી નથી. તેમણે રોકાણને લઈને કોઈ પ્રપોઝલ તૈયાર કર્યુ નથી. હવે સુપ્રીમ કોર્ટે તમામ બેક્નોને નિર્દેશ આપતા કહ્યુ છે કે બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ નિર્ણય લેવામાં આવે. અગાઉ સુનાવણીમાં રિસીવરે કહ્યુ કે બાકી બેક્નની પ્રક્રિયામાં મોડુ થયુ છે પરંતુ તેમની તરફથી આ મામલે કોઈ વાંધો ઉઠાવાયો નથી.

 

(8:11 pm IST)