Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજસ્થાનના જોધપુરમાં બસ અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત: 13 લોકોના કરૂણમોત :મુખ્યમંત્રી ગેહલોતે સંવેદના વ્યક્ત કરી

સિટી બસનું ટાયર ફાટ્યું અને સામે આવી રહેલી જીપ સાથે ધડાકાભેર અથડાઈ

જયપુરઃ રાજસ્થાનના જોધપુરમાં બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 13 લોકોના કરૂણમોત નિપજ્યા છે જયારે 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  આ ઘટના બાલાસેર વિસ્તારમાં તે સમયે બની જ્યારે એક સિટી બસનું ટાયર ફાટ્યું અને બસ સામે આવી રહેલી જીપ સાથે  અથડાઈ હતી .

  બાલેસર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના નેશનલ હાઈવે 125 પર બની છે. જેમાં 13 લોકોના કરુણ મોત થયા છે. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે જેથી મૃતકોની સંખ્યા વધી શકે છે.   

  મુખ્યમંત્રી અશોક ગહલોતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના પ્રગટ કરી છે.

(10:32 pm IST)