Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કાશ્મીરમાં કફર્યુ હટતા જ મોટા પ્રમાણમાં નરસંહાર શરૂ થઈ જશેઃ ઈમરાન ખાન

ભારતે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને બરાબરનું મરચુ લાગ્યુ છે. તેઓ દરેક મંચ પર જઈને કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે પણ કોઈ જ તેમને સાંભળવા તૈયાર નથી. હવે બરાબરના અકળાયેલા ઈમરાન ખાને કહ્યું છે કે, કાશ્મીરમાં મોટા પ્રમાણમાં નરસંહાર થઈ શકે છે.

કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં સતત હળહળતુ જુઠ્ઠાણુ ચલાવ્યા કરતા ઈમરાન ખાને કહ્યંુ છે કે કાશ્મીરમાંથી કફર્યુ હટાવતાની સાથે જ ત્યાં સ્થિતિ એકદમ ભયાવહ બની જશે અને ત્યાં મોટા પ્રમાણમાં નરસંહાર થઈ શકે છે. સાથે જ ઈમરાન ખાને કહ્યું હતુ કે જો કાશ્મીર મામલે સંયુકત રાષ્ટ્ર જ કંઈ નહીં બોલે તો પછી અમારી વાત કોણ સાંભળશે?

(3:49 pm IST)