Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હરિધામ સોખડા - યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું દુખદ દેહાવસાન : તા.26 જુલાઇ 2021 રાત્રે ૧૧.૦૦ કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બીરાજી ગયા : દેશ - વિદેશમાં વસતા તેમના કરોડો હરિભક્તોમાં મચી ગયો કલ્પાંત

વડોદરા : યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ 2021 રાત્રે ૧૧.૦૦ કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બીરાજી ગયા છે. આ સમાચાર સામે આવતાજ દેશ - વિદેશમાં વસતા તેમના કરોડો હરિભક્તોમાં કલ્પાંત મચી ગયો 

અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહદભાવ અને અપ્રતિમ સાધુતાનું મુર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું હતું. તેઓશ્રીની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓશ્રીની પ્રત્યક્ષ અનુપસ્થિંતિના આ વિંદાય હધ્યવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે- ગુરૂહરિચરણે અંતરની પ્રાર્થના...
- સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ
- સાધુ ત્યાગવલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ,
અથોકભાઇ સેક્રેટરીનાં જય શ્રી સ્વામિનારાયણ

(2:36 am IST)