Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કર્ણાટકમાં લીંગાયત સીવાયના મુખ્યમંત્રી ચૂંટણીમાં ભાજપને નુકશાનકર્તા

બેંગલુરૂ તા. ર૬: કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે ૪ વખત મુખ્યમંત્રી યેદીયુરખા ભાજપના મજબુત નેતા છે, તેઓ લીંગાયત સમાજમાંથી આવે છે, એટલે પાર્ટીમાં તેમની પકડ મજબુત છે. પાર્ટી સૂત્રો મુજબ ભાજપના પદાધીકારી સ્વીકાર કરશે કે શું નેતૃત્વ કોઇ એવા વ્યકિતને નામિત કરે છે જે લીંગાયત સમુદાયથી નથી જો કે આ નિર્ણય રાજયમાં પાર્ટીની સ્થિતિને નુકશાન પહોંચાડી શકે છેે. એક વરિષ્ઠ ભાજપ નેતાએ જણાવેલ કે યેદીયુરપ્તા મુખ્યમંત્રી છે, તો પછી જે લીંગાયત સીવાયના કોઇને તક મળે તો દરેક તેને સ્વીકારશે પણ ભાજપને નુકશાન થશે.

(3:10 pm IST)