Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઐશ્ચર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ : હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

અમિતાભ બચ્ચન અને અભિષેક હજુ ડોક્ટરોની દેખરેખ હેઠળ

મુંબઈ : મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હજુ હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે ઐશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ  10 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા છે.  

અભિષેકે ટ્વીટમાં આ સંદર્ભે માહિતી આપતા તેમના ચાહક વર્ગનો આભાર માન્યો હતો. જોકે અભિષેક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હજુ પણ કોરોના સંક્રમણથી પીડિત છે અને સારવાર માટે હોસ્પિટલમાં જ રહેશે.

(6:50 pm IST)