Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલૂ પ્રસાદ યાદવે કરાવ્યો કોરોના ટેસ્ટ: રિપોર્ટ નેગેટિવ

સાવચેતીના ભાગરૂપે લાલૂ યાદવ અને તેના ત્રણ સહયોગીઓના ટેસ્ટ કરાવાયા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ યાદવનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શનિવારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેનો રિપોર્ટ રવિવારે આવ્યો હતો.

સાવચેતીના ભાગરૂપે લાલૂ યાદવ અને તેના ત્રણ સહયોગીઓના શનિવારના રોજ કોરોના ટેસ્ટ કરવાામં આવ્યા હતા. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની સારવાર કરી રહેલા ડોક્ટર્સે રાહતનો શ્વાસ લીધો હતો.

લાલૂને જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યાં બાજૂમાં જ કોવિડ વોર્ડ બનાવામાં આવ્યો છે. જેના કારણે લાલૂ યાદવ અને તેમના પરિવારમાં ચિંતા જોવા મળી છ. લાલૂ યાદવની રિમ્સમાં સારવાર ચાલી રહી છે.

(12:00 am IST)