Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મહારાષ્ટ્રના 15 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર 11 જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે : SCના નિર્ણયથી એકનાથ શિંદે ખુશ : હિન્દુત્વ સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેનાની જીત હોવાનું ટવીટ કર્યું

મુંબઈ : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું, "આ હિન્દુત્વ સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને ધરમવીર આનંદ દિઘે સાહેબના વિચારોની જીત છે...." તેણે તેને અસલી શિવસેનાની જીત પણ ગણાવી છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું છે. 15 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર કોર્ટે 11 જુલાઈ સુધી સ્ટે લગાવી દીધો છે. આનાથી એકનાથ શિંદે ઉત્સાહિત જણાય છે. આ નિર્ણય બાદ બળવાખોર શિવસેના ધારાસભ્યે ટ્વીટ કરીને તેને બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વની જીત ગણાવી હતી. તેમણે મરાઠીમાં ટ્વીટ કર્યું, જેનો અર્થ છે, 'આ હિન્દુત્વ સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વ અને ધરમવીર આનંદ દિઘે સાહેબના વિચારોની જીત છે...'. આ સાથે તેણે હેશટેગ 'વિક્ટરી ઓફ ધ અસલી શિવસેના' પણ લખ્યું છે.

તેમના જૂથને અસલી શિવસેના કહેવાથી સ્પષ્ટ થાય છે કે તેઓ પાર્ટી પર દાવો કરી રહ્યા છે. એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો તેમના સમર્થનમાં છે. આવી સ્થિતિમાં પાર્ટી પર તેમનો અધિકાર છે. આ પહેલા પણ તેઓ ઘણી વખત પાર્ટી પર પોતાના દાવાની વાત કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે ડેપ્યુટી સ્પીકર વતી બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતી નોટિસ અંગે પણ કહ્યું કે બહુમતી તેમની સાથે હોવાથી તે ખોટું છે. એક તરફ એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અસલી શિવસેનાની જીત ગણાવી છે, તો બીજી તરફ શિવસેના કેમ્પમાંથી સંજય રાઉત કે ઉદ્ધવ ઠાકરે સહિતના કોઈ નેતાનું નિવેદન બહાર આવ્યું નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(6:04 pm IST)