Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

યુ.એસ.ના ન્યુજર્સીમાં હરિધામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્નઃ ૫ જુલાઇ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો, યજ્ઞ, મહાપૂજા તથા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે હાજરી આપવા યોગી ડિવાઇન સોસાયટીનું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી તથા પ્રગટ ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશિર્વાદ સાથે યુ.એસ.ના ન્યુજર્સીમાં હરિધામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે.

આથી આ મંદિરમાં ૫ જુલાઇ શુક્રવારથી ૭ જુલાઇ રવિવાર દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેમાં હાજર રહેવા યોગી ડિવાઇન સોસાયટીએ સહુને આમંત્રણ પાઠવ્યું છે.

ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત ૫ જુલાઇ શુક્રવારના રોજ બપોરે ૪-૩૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન ઇન્ટરનેશનલ આત્મીય યુવા સંમેલન યોજાશે.

૬ જુલાઇ શનિવારે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન યજ્ઞ મહાપૂજા, તથા સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

૭ જુલાઇ ૨૦૧૯ રવિવારના રોજ વેદોકત વિધિ મુજબ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.

બર્કવુડ મેનોર,૧૧૧, નોર્થ જેફરસન રોડ, વ્હીપની, ન્યુજર્સી મુકામે હરિધામ, યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં પધારવા સાધુ પ્રેમસ્વરૂપ દાસ તથા શ્રી લલિત પટેલના અહેવાલ દ્વારા શ્રી જયંત પટેલ ૨૦૧-૮૭૩-૩૨૯૨ની યાદીમાં જણાવાયું છે.

(7:53 pm IST)