Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જનકપુરધામમાં રામકથામાં પૂ. મોરારિબાપુ ઝૂમ્યા અને સૌને નચાવ્યા

 ઈશ્વરિયા,તા.૨૭ : આપણાં પડોશી મિત્ર દેશ નેપાળમાં શ્રી સીતાજી જન્મસ્થાન જનકપુર ખાતે ચાલી રહેલ ''શ્રી માનસ જય સિયારામ''રામકથામૃત રસપાન કરાવતા શ્રી મોરારિબાપુએ સિતાવિવાહ -પ્રસંગ પૂર્વે સૌરાષ્ટ્રને સંભારી વ્યાસપીઠ પરથી નીચે ઉતરી કિરતાર લઈ લોકગીત સાથે શ્લોક અને ચોપાઈના ગાન કરતાં કરતાં ઝૂમ્યા હતા. આ વેળાએ અહી સૌ સંતો, યજમાન પરિવાર સાથે ભાવિક શ્રોતાઓ તાલભેર મન મૂકીને નાચ્યા હતા. (તસવીર - મૂકેશ પંડિત)

(3:54 pm IST)