Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

નેપાળમાં જનકપુર ખાતે રામકથામાં પૂ.મોરારીબાપુના હસ્તે પુસ્તક વિમોચન

ઈશ્વરિયા : નેપાળમાં જનકપુર ખાતે ચાલી રહેલ ''માનસ જય સિયારામ'' રામકથાના સાતમા દિવસે કથા પ્રારંભે અગાઉ સાપુતારા ખાતે યોજાયેલ ''માનસ પિતૃદેવો ભવઃ'' રામકથા સંકલન પ્રકાશનનું વિમોચન શ્રી મોરારિબાપુના હસ્તે સંપન્ન કરાયું અને તેઓએ પ્રસન્નતા વ્યકત કરી. સંપાદક  નીતિન વડગામા દ્વારા આ પ્રકાશન વેચવા માટે નહિ પણ વહેંચવા માટે હોવાના શ્રી મોરારિબાપુના મૂલ્ય હેતુનો ઉલ્લેખ કરી વનવાસી પ્રદેશમાં ધર્મ સંસ્કારની ગતિવિધિ અંગે જણાવ્યું. આ સાથે નીલેશભાઈ વાગડિયા જોડાયા હતા. આ દરેક પ્રકાશન પ્રસાદ રૃપે વિનામૂલ્યે વિતરિત થઈ રહેલ છે. (તસવીર - મૂકેશ પંડિત)

(4:13 pm IST)