Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મહાકાલેશ્વરના શરણમાં પોલીસ તંત્ર...

ઉજ્જૈનમાં એસ.પી.એ રોડ પરથી દંડવત - પ્રણામ કર્યા : કોરોનાથી મુકિત માટે અરજ કરી

ઉજ્જૈનના એસ.પી. મનોજકુમાર સિંહ આજે પ્રસિધ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરને માર્ગ પરથી જ દંડવત - પ્રણામ કર્યા હતા. કાળઝાળ તાપમાં ખુલ્લા પગે દંડવત કરેલા. એક પ્રશ્નના જવાબમાં શ્રી સિંહે જણાવ્યું હતું કે, ભગવાન પાસે કંઇ માંગવાની જરૂર નથી, વગર માંગ્યે આપી દે છે. તેની નજરમાંથી કોઇ બચી શકતુ નથી. તેઓએ. આગળ કહ્યું કે, દુનિયાને કોરોનાથી મુકત કરવા અને દેશ - પ્રદેશમાં સુખાકારી માટે અરજ કરી છે. આવતા દિવસોમાં ભગવાનના આશિર્વાદ દેશ પર જરૂર વરસશે.

(3:45 pm IST)