Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નવી મોદી સરકાર વ્યાપારીઓને આપશે મોટી રાહત, એક સાથે મળશે GST રિફંડ

વર્તમાનમાં જીએસટી રિફંડના ૫૦ ટકાની ચુકવણી કેન્દ્ર સરકાર કરે છે, બાકી ૫૦ ટકા રાજય સરકાર કરે છે, જેથી તેમાં દ્યણો સમય લાગે છે

નવી દિલ્હીઃ નિકાસકારો માટે GST પ્રક્રિયાને સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય પગલા ભરવાની તૈયારીમાં છે. આ હેઠળ GST  રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંન્ને કામની એક વ્યવસ્થા કે અધિકૃત કરશે. એક અધિકારીએ આ વાત કરી હતી. હાલની વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજયના કર અધિકારીઓ બંન્ને પાસેથી રિફંડની મંજૂરીની જરૂર હોય છે, પરંતુ ઓગસ્ટમાં આ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ બેની જગ્યાએ એક ઓથોરિટી જીએસટી રિફંડની મંજૂરી અને તેની પ્રક્રિયા પર કામ કરશે.

મહેસૂલ વિભાગ આ વ્યવસ્થામાં કામ કરી રહ્યું છે. તેના અનુસાર, કરદાતાએ દાવો મંજૂર થયા બાદ કર અધિકારી પાસેથી રિફંડ મળી જશે. વર્તમાનમાં કરદાતાએ રિફંડનો દાવો કરવા પર કેન્દ્રીય કર અધિકારી ૫૦ ટકા દાવાની ચુકવણી કરી દેતું હતું અને બાકીની રકમની ચુકવણી રાજયના કર અધિકારીઓની તપાસ બાદ કરવામાં આવતી હતી.

વસ્તુ અને સેવા કર (જીએસટી) રિફંડ માટે રાજય કર અધિકારીઓની પાસે દાવો કરવા પર પણ આ વ્યવસ્થાનું પાલન કરવામાં આવે છે. આ કારણે પૂરુ રિફંડ મળવામાં વધારે સમય લાગે છે અને નિકાસકારોની સામે રોકડનું સંકટ ઉભું થાય છે. રિફંડ પ્રક્રિયામાં થઈ રહેલી આ સમસ્યાને દૂર કરવા માટે એક વ્યવસ્થાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

સિંગલ ઓથોરિટી સિસ્ટમ કરશે રિફંડની તપાસ

 'એકલ ઓથોરિટી સિસ્ટમ' હેઠળ કરદાતાએ રાજય કે કેન્દ્રના કર અધિકારી સમક્ષ રિફંડનો દાવો કર્યા બાદ અધિકારી દાવાની તપાસ, મૂલ્યાંકન કરી સંપૂર્ણ રિફંડ (કેન્દ્ર અને રાજય જીએસટી બંન્નેની ભાગીદારી)ને મંજૂરી આપશે. બાદમાં આંતરિક ખાતા સમાયોજનના માધ્યમથી બાકી ઓથોરિટી બાકી રકમને એડજસ્ટ / ગોઠવણી કરી દેશે.

(10:09 am IST)