Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ભારતીય મહિલાને કારણે આયર્લેન્ડમાં ગર્ભપાતને મળશે કાયદેસરની મંજુરી

આયર્લેન્ડમાં ગર્ભપાત પરથી પ્રતિબંધ હટાવવા માટેના જનમત સંગ્રહમાં 66.4 ટકા લોકોએ તેનું સમર્થન આપ્યું છે. આયર્લેન્ડમાં મહિલાનો જીવ જોખમમાં હોય ત્યારે ગર્ભપાતની મંજૂરી મળે છે. બળાત્કારના કેસમાં મંજૂરી નથી.

   અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકના બેલગાવીની ડેન્ટિસ્ટ સવિતા હલપ્પનવારને 2012માં ગર્ભપાતની મંજુરી ન મળતા તે મૃત્યુ પામી પછી ગર્ભપાતને કાયદેસર બનાવવાની લોક લાગણીએ જોર પકડ્યું હતું.

(12:51 pm IST)