Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

મોદીને કાંકરાવાળા લાડુ મોકલશું જેનાથી એમના દાંત તૂટી જશે

'મમતા દીદી ભેટ મોકલે છે'ના મોદીના નિવેદન પર મમતા બેનરજીનો પ્રહાર

કોલકત્તા તા. ૨૭ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મમતાએ કહ્યું કે, 'મોદી પહેલાં તો પશ્ચિમ બંગાળ આવ્યા નહીં. હવે ચૂંટણીમાં તેમને બંગાળના વોટ જોઈએ છે. અમે મોદીને બંગાળના રસગુલ્લા આપીશું. અમે માટીથી મીઠાઈ બનાવીશું અને એમાં કાંકરા નાખીશું, જે રીતે લાડુમાં કાજુ અને કિશમિશનો ઉપયોગ થાય છે. તેનાથી તેમના દાંત તૂટી જશે.'

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની સાથે પોતાના બિન-રાજકીય ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મમતા દીદી તેમને વર્ષમાં કુર્તા જરૂર મોકલે છે. આ સંદર્ભે પશ્ચિમ બંગાળના આસસનોલની ચૂંટણી ચૂંટણી દરમિયાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, હું વડાપ્રધાન મોદીને કુર્તા સૌજન્ય-ભેટ તરીકે મોકલું છું. આ રાજનીતિથી અલગ છે. મોદી બાબુ કહે છે કે હું ભેટના રૂપમાં તેમને કુર્તા મોકલું છું, હું પૂછું છું કે એમાં ખોટું શું છે ? હું ફકત મોદીને જ ભેટ મોકલતી નથી, અન્ય લોકોને પણ ભેટ મોકલું છું. પરંતુ અમે આ અંગે વાતચીત કરતાં નથી, કારણ કે આ અમારી સંસ્કૃતિ નથી. આ  અમારો શિષ્ટાચાર છે.  મમતા બેનરજીએ એમ પણ કહ્યું કે, મોદી આ ટિપ્પણીથી પોતાની ઈમેજનું મેકઓવર કરી રહ્યાં છે. મોદી પર સીધું નિશાન તાકતાં મમતાએ કહ્યું કે, અમે તેમને (મોદીને) એવી મીઠાઈ મોકલીશું કે એમના દાંત તુટી જશે.(૨૧.૬)

(11:31 am IST)