Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વેકસીન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયાઃ પરેશ રાવલ

પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી

નવી દિલ્હી, તા.૨૭: થોડા દિવસોમાં કોરોના કેસ ફરી વધી ગયા છે. એવામાં બોલીવુડ પણ કોરોનાના કહેરથી બચી શકયું નથી. તાજેતરમાં જયાં આમિર ખાન અને કાર્તિક આર્યન પોઝિટિવ હોવાના સમાચારે ચોકાવ્યા તો બીજી તરફ હવે સમાચાર મળી રહ્યા છે કે બોલીવુડ દિગ્ગજ એકટર પરેશ રાવલ પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.

પરેશ રાવલ એ શુક્રવારે જણાવ્યું કે તે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટર દ્રારા પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી.

પરેશ રાવલ એ ટ્વીટ કર્યું, 'દુર્ભાગ્યવશ, હુંં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છું. ગત ૧૦ દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવાનો અનુરોધ કરુ છું.

૬૫ વર્ષીય એકટર પરેશ રાવલ નવ માર્ચે કોવિડ ૧૯ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વેકસીન લીધા બાદ પણ પોતના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કરતાં જાણકારી આપી હતી.  થોડા દિવસો પહેલાં ઘણા અભિનેતા કોરોનાની ઝપેટમાં આવ્યા જેમાં કાર્તિક આર્યન, સિદ્ઘાંત ચર્તુવેદી, આર માધવન, આમિર ખાન જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

(11:50 am IST)