Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે પ્રથમ વખત કાશ્મીરની મસ્જીદોમાં નમાજ એ જુમ્મા અદા કરવા ન આવ્યા નમાજી

જમ્મુ , તા.ર૭ :  કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદના ૩૦ વરસના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે કે શુક્રવારની નમાજ-એ-જુમ્મા પર કાશ્મીરની મસ્જિદોમાં નમાજી ન પહોંચયા આવું એટલા માટે બન્યું કે કોરોનાના ખતરાને ધ્યાને લઇ પ્રશાસનને  કડક ચેતવણી મળી હતી અને બધા જ ધાર્મિક સ્થળો બંધ કરાવી દીધા હતા.

કાશ્મીરમાં કોરોનાને કારણે એક મોત થયું છે. મસ્જીદોમાં નમાજ ન થઇ -અજાન થઇ નમાજ પઢવા કોઇ આવ્યું નહીં શ્રીનગર પ્રશાસનએ ગુરૂ દ્વારો, મંદિર અને મસ્જીદો બંધ કરવાનો આદેશ પહેલા જ આપી દીધો છે. સરકારી આદેશોનું ઉલ્લંધન કરનારા સાથે કાનૂની કાર્યવાહી થશે લોકો પોતાના ઘરોમાં રહી નમાજ પઢે. 

(11:43 pm IST)